Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


 - : ઉમેદવાર માટેની સૂચનાઓ :-  

( આ તમામ સૂચનાઓ અવશ્ય વાંચી અમલ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.)

1 આ પરીક્ષામાં આપનો પ્રવેશ મંડળની જાહેર ખબર અને તેને સંબધીત સૂચનાઓને આધારે આપે ઓન-લાઈન ભરેલી અરજીપત્રકમાંની વિગતો અને તે હેઠળના સોંગદનામાના ખરાપણાને આધિન રહીને આપવામાં આવે છે. જો આપે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, જેન્ડર કે અન્ય કોઇપણ માહિતી ભવિષ્યમાં કોઇપણ તબક્કે ખોટી/ ક્ષતિયુકત હોવાનું મંડળને જણાશે તો આપની ઉમેદવારી/પસંદગી/નિમણૂક, મંડળ દ્વારા નિયમોનુસાર "રીજનરેટ" / "રદ" થવા પાત્ર ઠરશે.
2 જો આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત પરિપૂર્ણ કરતાં ન હોય તો આ સુચના અન્વયે આપને આ પરીક્ષામાં નહીં બેસવા માટે સલાહ આપવામાં આવે છે.
3 પરીક્ષાખંડમાં ઉપસ્થિત થવા માટે આપે ડાઉનલોડ કરેલ કોલલેટર-કમ-હાજરીપત્રક ઉપર પોતાનો ફોટો ચોંટાડી પરીક્ષાખંડમાં અચૂક સાથે લાવવાનો રહેશે. અન્યથા, આ પરીક્ષામાં આપને બેસવા દેવામાં આવશે નહી. ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલો હોય તદ્દન તેવો જ ફોટો હાજરીપત્રકમાં ચોંટાડવો ફરજીયાત છે.
4 દ્રષ્ટિની ખામીવાળા અને હાથની વિકલાંગતાના કારણે હાથથી લખવા સક્ષમ ન હોય તેવા PH ઉમેદવારો કે જેઓને લહીયાની સુવિધા જરૂરી હોય તેવા ઉમેદવારોએ જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો અગાઉથી જરૂરી આધાર પુરાવા (સીવીલ સર્જનના સર્ટિફિકેટ) સાથે રૂબરૂ સંપર્ક કરીને પરીક્ષા શરૂ થવાના આગલાં દિવસ સુધીમાં લહીયો સાથે રાખવાની મંજુરી મેળવી લેવાની રહેશે. મંજુરી વગર લહિયાની સુવિધા મળી શકશે નહીં.
5 પરીક્ષાખંડમાં આપે આપની ઓળખ માટે- ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, કે સ્કૂલ/કોલેજનું ફોટાવાળુ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. જે નિરીક્ષક (ઇન્વીજીલેટર) માંગે ત્યારે બતાવવાનું રહેશે
6 આ પરીક્ષા MCQ -OMR (મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન-ઓપ્ટીકલમાર્કરીડર) પધ્ધતિની રહેશે. ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક તથા પ્રશ્નના જવાબ સામેના O માં બ્લૂ/ બ્લેક બોલપોઇન્ટ પેનથી સંપૂર્ણ ● ઘુંટીને દર્શાવવાના રહેશે. જવાબ સામે આપેલ વર્તુળ જો અધૂરું ઘૂંટવામાં આવશે તો તે જવાબ માન્ય ગણવામાં આવશે નહીં.
7 OMR પધ્ધતિથી ઉત્તરપત્રમાં જવાબો લખતાં પહેલાં તે અંગેની સૂચનાઓ અચૂકપણે વાંચવી, પછી જ જવાબો લખવા. OMRઉત્તરપત્રમાં સ્વહસ્તે બેઠક ક્રમાંક, પ્રશ્નપુસ્તિકા નંબર આંકડામાં તથા પ્રશ્નપુસ્તિકા કોડ અંગ્રેજી અક્ષરમાં અને OMRપધ્ધતિમાં સૂચવ્યા મુજબ અચૂક દર્શાવાનો રહેશે. આ સિવાય અન્ય કોઇ લખાણ કે ઓળખ ચિહન કરવાં નહિં. અન્યથા ક્ષતિયુક્ત OMR ઉત્તરપત્ર રદ ગણીને કોમ્પ્યુટર ચકાસશે નહી; જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.
8 નિર્ધારીત પરીક્ષા સમય કરતા ૧-૦૦ કલાક અગાઉ આપે આપની બેઠક પર અચૂક હાજર થવાનું રહેશે.
9 OMRપધ્ધતિથી ઉત્તરપત્રોના મૂલ્યાંકન માટે આપના સાચા-ખોટા જવાબ, એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ, છેકછાક,અધૂરું ઘૂંટેલ વર્તુળ તથા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લઇને ખોટા, છેકછાકવાળા, અધૂરું ઘૂંટેલ વર્તુળ, એકથી વધુ વિકલ્પો દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબના ગુણનું મૂલ્યાંકન પ્રશ્નપુસ્તિકામાં આપવામાં આવેલ સૂચનાઓ મુજબ (માઇનસ પધ્ધતિથી) કરવામાં આવશે. પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, છેકછાક, અધૂરું ઘૂંટેલ વર્તુળ, કે એક કરતાં વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબ દીઠ ૦.રપ માઇનસ ગુણ કાપવામાં આવશે.
10 પરીક્ષામાં મોબાઇલ સાથે લાવવા પર પ્રતિબંધ છે. તેમજ સાથે બીન-અધિકૃત પુસ્તકો,કાગળો,સાહિત્ય તથા પેજર, કેલ્ક્યુલેટર વગેરે જેવા કોઈપણ વિજાણું સાધનો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં જો આવી વસ્તુઓ આપની પાસેથી મળી આવશે તો એ સાથે રાખવા બદલ આપ આપોઆપ ગેરલાયક ઠરશો તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે. આ સૂચનાનો ભંગ કરનાર ઉમેદવાર શિસ્તભંગનાં પગલાંને પાત્ર ઠરશે.
11 ઉમેદવારો પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષાખંડ છોડી શકશે નહીં. કોઈ ખાસ સંજોગોમાં પણ સ્થળ પર હાજર મંડળના પ્રતિનિધિની મંજુરી સિવાય આ ટુંકા સમયમાં ઉમેદવારને વર્ગખંડની બહાર જવા દેવામાં આવશે નહી.
12 OMR Sheet માં ઉમેદવારની સહી ફરજીયાત છે. ઉમેદવારે ઉત્તરપત્રમાં નિયત જગાએ પોતાની સહી તેમજ ખંડ નિરીક્ષક (ઇન્વીજીલેટર) ની સહી કરેલ/કરાવેલ નહીં હોય તો તેવા ઉમેદવારનું ઉત્તરપત્ર (OMR Sheet)મંડળ દ્વારા રદ કરવામાં આવશે. તેથી OMR Sheetખંડ નિરીક્ષક (ઇન્વીજીલેટર) ને સુપ્રત કરતાં પહેલાં ઉકત વિગતો અવશ્ય ચકાસી લેવી.
13 ઉમેદવારે પરીક્ષાની શરૂઆતમાં હાજરીપત્રકનું અડધિયુ તેમજ પરીક્ષા પૂર્ણ થયેથી ઉત્તરપત્ર (OMR Sheet),પરીક્ષા ખંડના નિરીક્ષક (ઇન્વીજીલેટર) શ્રીને પરત સોંપ્યા બાદ જ પરીક્ષાખંડ છોડવાનો રહેશે. તેમ ન કરનાર ઉમેદવારને પરીક્ષામાં ગેરલાયક ઠરાવવામાં આવશે અને તેવા ઉમેદવાર સામે કાયદેસરની કાર્યવાહી મંડળ ધ્વારા કરવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવાર પ્રવેશપત્રનો ઉપરનો અડધો ભાગ તેમજ પશ્નપત્ર પોતાની પાસે રાખી શકશે.
14 પ્રશ્નપત્રમાં કુલ-૨૦૦ પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્ન- ૧ ગુણનો રહેશે. દરેક પ્રશ્નના જવાબ માટે આપવામાં આવેલ કુલ-૪ વિકલ્પો પૈકી આપે સાચો વિકલ્પ પસંદ કરીને તેના પર ઉપર વર્ણવ્યા મુજબ ઘૂંટીને દર્શાવવાનો રહેશે. જો આપ કોઇ પ્રશ્નના સાચા જવાબનો વિકલ્પ પસંદ કરી ન શકવાના કારણે તે પ્રશ્નનો જવાબ આપવા માંગતા ન હોય તો આપે પાંચમા વિકલ્પ (E)પર ઘૂંટીને દર્શાવવાનો રહેશે. ઉમેદવારે (E) વિકલ્પ દર્શાવેલ હશે તો માઇનસ ગુણ કપાશે નહિં અન્યથા આવા પ્રશ્નના ખાલી છોડેલ પશ્ન તરીકે ૦.૨૫ માઇનસ ગુણ કપાશે.


15 આ પરીક્ષાના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર-કી પરીક્ષાની તારીખ બાદ મંડળની વેબ સાઇટ https://gsssb.gujarat.gov.in પર મુકવામાં આવશે. જે આપે જોઇ લેવાની રહેશે.
16 આ પરીક્ષામાં મંડળ દ્વારા ઠરાવાયેલ લઘુત્તમ લાયકી ગુણ ૪૦ ટકા પ્રમાણે તમામ કેટેગરીના ઉમેદવારો માટે રહેશે. અને કેટેગરીવાઈઝ મેરીટના ધોરણે ભાગ-૨ ની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષા માટે નિયમાનુસાર ઉત્તિર્ણ/લાયક ગણવાના રહેશે.
17 સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વચગાળાના તબકકે ગુણ,પરિણામ કે રીચેકીંગની અરજી કે લેખિત પરીક્ષા સંબંધિત અન્ય કોઇપણ બાબતને ખાનગી પ્રકારની ગણવાની હોવાથી તેવી માહિતી મેળવવા માટેની કોઇ પણ અરજી/રજૂઆત વિચારણામાં લેવામાં આવશે નહીં.
18 કોલ લેટરમાંની આ સૂચનાઓ ઉપરાંત મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પરની વખતો વખતની સૂચનાઓ પણ અચૂકપણે વાંચવી અને તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
19 ઉમેદવારે રફકામ પ્રશ્નપુસ્તિકામાં કરવાનું હોવાથી અલગ રફશીટ આપવામાં આવશે નહીં. તેમ જ ઉમેદવાર પોતે પણ રફકામ માટે અલગથી કાગળ લાવી શકશે નહીં.
20 ઉમેદવાર નકલ કરતા ગેરરીતી / ગેરશિસ્ત આચરતા જણાશે તો, ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉપરાંત, ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પ્રતિબંધ મુકવા ઉપરાંત, ફોજદારી પગલાં સહીતની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.
21 ઉમેદવારે પરીક્ષા ખંડમાં તેમને આપવામાં આવતી સુચનાઓનું અચૂકપણે પાલન કરવાનું રહેશે.
22 દરેક ઉમેદવારોએ મોં પર માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે તેમજ સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.
23 પરીક્ષામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોનું ટેમ્પરેચર, ટેમ્પરેચર ગન દ્વારા માપવાનું ફરજીયાત રહેશે.
24 તમામ ઉમેદાવરોને હાથ ઉપર સેનેટઈઝર સ્પ્રે લગાડીને પ્રવેશ આપવામાં આવશે.
25 તમામ ઉમેદવારો પીવાના પાણીની બોટલ જાતે જ લાવવાની હિતાવહ છે. તેમ છતાં મંડળ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા (ડીસ્પોઝેબલ ગ્લાસ સાથે) કરવામાં આવશે.
26 પરીક્ષા સ્થળ તેમજ કેમ્પસમાં ઉમેદવારો સિવાય તેઓના સગા/સંબંધીઓને પ્રવેશવા દેવામાં આવશે નહિ.
27 કોવીડ-૧૯ અંતર્ગત કેન્દ્ર/રાજ્ય સરકારશ્રી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
Powered by Blogger.